પ્રીતમ ની પ્રીત મળી

We


જ્યાં મોંન માં પણ તમાંરી સાથે રોજ સવાંદ થાય,
ભરચક વસ્તી માં તમને જોઇ જરા થોભી જવાય,
મોળી ચા તુજ સ્પર્શ થી મીઠી-મધુર બની જાય,
ખુલા આભ માં તમારો ચેહરો ઇન્દ્રધનુષ રચી જાય,
આંખો ના પાલકારે દીવસ-રાત હસતા હસતા વીતી જાય,
વિચારો માં મગન દિલ ઉંચે આકાશ માં ઉડી જાય,
હોઠ પર નામ આવતા આંખોમાં પ્રેમ છલો-છલ છલકાઈ,
સામે આવતા તમે, મારી પાંપણ ઝૂકી જાય,
લખતા લખતા તમારા વિશે શબ્દો ખૂટી જાય,
પ્રેમ એટલો અનહદ કે ખોબો ના ભરાઈ,
હવે તારલિયા મહેફીલ કરે ને એમાં વાતો આપણી થાય,
ગગન ચૂંબી અનંત પ્રેમ થી હૈયું ઘેલું થાય,
પ્રીતમ ની પ્રીત મળી મારુ જીવન ધન્ય ધન્ય થાય.

-પ્રાચી ભટ્ટ

– કાકી ના ઓટલે થી.

🌹

Thought : 3

#staypositive #hardwork #focusonthegood #focusonyourgoals #stayfocused #stayfocused💯✔️ #nevergiveup #trusttheprocess #trustyourintuition #stay_focused #stay_focused_and_never_give_up 🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻. .

✔️Follow my page @mrsbhatt

Like 🔸 comment 🔸 share

અપેક્ષાઓ

કયારેક એવું બને કે પોતાની જાત પાસે રાખેલી અપેક્ષાઓ પૂરી ન થતાં માણસ અંદર થી પોતાની માટે જ નિરાશ થઇ,હતાશામાં સપડાઈ ને એકદમ પાંગળુ બની જાય છે. વિચારો ના વાદળો માં ક્યાં વરસવું એને આ ખ્યાલ મગજ માં આવતો જ નથી. જાણે અજાણે દિમાગ એક મશીન ની જેમ બંધ થતું હોય એવી અનુભૂતિ થવા લાગે.

એવું લાગવા લાગે કે બધું હારી જવાયું છે. હવે કઈ બાકી નથી દુનિયા માં. કોઈ નથી જે સમજે અને સાથ આપે. મુખ્ય વાત સાંભળવા કોઈ નજીક નું કે પોતાનું નથી. રડુ આવે તો પણ ખૂણો ન જડે એવું પણ થાય. દરેક ની વાતો, જૂની યાદો,કિસ્સાઓ, ઘટનાઓ ને બીજું ઘણું એને જીવતે જીવ કોરી ખાય છે. આ બધું શુ ચાલી રહ્યું છે અને કેમ આ બધા માં માણસ ગૂંચવાઈ ને રહી જાય છે. રસ્તો આગળ છે જ નઈ ને અંત આવી ગયો છે બધી બાજુ થી એવો અહેસાસની માનસિકતા નો બીજ ઉગી નીકળે છે. પછી પોતે રૂંધાઇ રહયો હોય એમ ડુમો ભરી જીવે છે.

દિવસ – રાત બસ મન માં સવાલો ઘેરાઈ જાય ને અંદર-અંદર, સવાલ-જવાબ નું યુદ્ધ શરૂ થઇ જાય. કદાચ જે ઇચ્છાઓ રાખી હશે શુ વધું પડતી હદ બાર વિના ની હતી? શુ હું કદી કોઈ વસ્તુ ના કાબીલ નથી? મૈં કોઈ નું કશુ બગાડ્યું નથી તો આવું કેમ મારીસાથે થયું? ભગવાન કેમ મારૂં સારું નથી કરતો? …આવા અનેક સવાલો નજર સામે આવી ને ઉભા રે છે. અપેક્ષાઓ નો ભાર લઈ જીવન જીવવું સહેલું નથી. અમુક સમય અને પરિસ્થિતિ માં જે પછી ડગલે ને પગલે આ ભાર ઓછો કરવો જ પડે છે.

બધી વસ્તુઓ ની સામે બસ એક જ જવાબ છે, માણસે ઉદ્દભવેલી અપેક્ષાઓ. પોતે જ ઉભી કરી ને અંત માં પોતે જ દુઃખી થાય છે. એટલે સરળ રસ્તો એ છે કે સુખી રેહવું હોય તો પોતાની જાત માટે કે બીજા પાસે થી રાખેલી અપેક્ષાઓ ની દીવાલ ઉંચી કરતા જઉં નહીં. આગળ જતાં આ અપેક્ષાઓ સ્વાર્થવૃત્તિ વધારશે એટલે જેટલું બની શકે નાની અમથી વસ્તુ કે વાત માં expectation ઓછા કરવાનું શરૂ કરો. અપેક્ષાઓ દુઃખ સિવાય કંઈ નહીં આપે. એના કરતાં જીવન માં ધ્યેય રાખવો, શિસ્તતા રાખો અને એની સાથે નિસ્વાર્થ ભાવના રાખો તો માણસ હમેશા હકારાત્મક ઉર્જા થી પરિપૂર્ણ રહેશે, મતલબ કોઈ પણ ભાર વિના ખુશ અને સ્વસ્થ રહેશે.

આશા-અપેક્ષા વિના જીવન માં બીજું ઘણું છે જે સંસાર માં આગળ વધવા પ્રેરણા પુરી પાડે છે જેમકે, એક સ્ટ્રોંગ ડેડીકેશન, સારી મિત્રતા, સખત પરિશ્રમ, સતત કોશિશ કરી સપનાં પુરા કરવાની હિંમત, માં-બાપ નો પ્રેમ,વડિલો ના આશીર્વાદ, કુદરત, અને બીજું ઘણુ. આ બધા નું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય છે ને સાચું સુખ પણ. આ બધાં માં કોઈ જ સ્વાર્થ કે અપેક્ષા નથી. બસ છે તો નિઃસ્વાર્થ રૂપી પ્રેમ સમાયેલો છે.

અંત માં ખુશ રેહવું આપડા પોતાના ઉપર છે. અને એ કઇ રીતે એ પણ નક્કી આપણે પોતે જ કરવાનું છે.કોઈ extra baggage લઈ જીવવાનું નહિ. મન થી મક્કમ બનો અને ધ્યાન રાખો કે કદી હારવું કે ડરવું નહિ. Stay happy & positive in life.

-પ્રાચી ભટ્ટ

લાગણીઓ

– મારા જીવન ની હકીકત કહો કે એવો એક સમય આવ્યો જયારે મૈં દુનિયા નો સૌથી સાચો પ્રેમ, સાથી, મિત્ર કહો કે સારો companion લખવાને ગણ્યો, અને માન્યો પણ. શોખ તો નાનપણ થી જ mummy પાસે થી મળ્યો. વર્ષ 2009 થી શરૂ કર્યું પછી અચાનક થોડા સમય બાદ લખવનું બંધ કર્યું.
કદાચ નાનકડા ખુણા માં પ્રેમ જ હશે એટલે એને મને ફરી આ લખવાનો શોખ જગાડ્યો. અને સાચે કહું તો મારા મન ને આ શબ્દો જ ખુબ મક્કમ બનવાનો પ્રયત્ન કર્યા કરે છે. નવી ઉર્જા આપે છે.
…..ખબર નહી પણ કંઈક છે જે લખવા માટે ફરી મને અહીં ખેંચી જ લાવે છે.

એવો એક સમય જયારે કાગળ ને કલમ મન ની ભાવનાઓ સમજવા લાગે અને તયારે મેં કંઈક લખ્યું, આશા છે ગમશે તમને,
વાંચી ને પછી કેહજો કેવું લાગ્યું.😊

______________________________

સાંજ ઢળે એમ સપનાઓ રોજ તૂટતાં,
સમાવ્યું સઘળું દુઃખ ડુસકા માં,


જીવન મળ્યું નહીં જેની હતી ઝંખના,
અજંપો આવી ચડ્યો ઉંમરા માં,

દર્દ માં આંસુ હવે રોજ ટપકતા,
કોને જણાવું કેટલું ભાર છે મન માં,

સખી-સાથી ને સબંધી થી પામી કપટતા,
હવે નથી મોહ આ સંસારરૂપી માયા માં,

ક્યાં સુધી સહન કરું દુઃખ ની દાસ્તાન,
કરું સંકલ્પ કે જીવવું સમય ની દરેક પળ માં,

આજે લાગણીઓ એ શીખવાડ્યું લખતા,

મે શબ્દો પોરવ્યા લીટી માં,


હળવો કર્યો મન નો ભાર કલમ – શાહી માં,
સઘળું વર્ણવ્યું જીવન કોરા કાગળ માં,

તુજ પ્રેમ,તુજ સાથ- સથવાર મારો આ ભવ માં,
ધન્ય થયી હરખાઉં હું નવા રૂપ માં.


-પ્રાચી ભટ્ટ

કાકી ના ઓટલે થી.


અયોધ્યામાં રામમંદિર

અયોધ્યામાં રામમંદિર નિર્માણ શરુ થયાનો હર્ષ દેશના તમામ રાજયોમાં વસતા લોકોને થયો હોય પરતું અમદાવાદીઓને ડબ્બલ હર્ષ થવો જોઈએ કારણ કે રામ મંદિરની ડિઝાઈન બનાવનાર ચંદ્રકાન્ત સોમપુરા અમદાવાદના વતની છે !

૧૯૮૯માં અશોક સિંઘલ સાથે રામજન્મભુમિની મુલાકાત લઈને તેની જમીનની માપણી કરી ૪૭ વરસના યુવાન ચંદ્રકાન્તભાઈએ મંદિરની પ્રાથમિક ડિઝાઈન બનાવી હતી અને અયોધ્યામાં પથ્થરો ઘડવાનું કામ શરુ કરાવ્યું હતું !

ચંદ્રકાન્તભાઈએ ૧૯૮૯માં બનાવેલી ડિઝાઈન પુર્વ કાળ બનતા મંદિરો જેવી હતી પણ હવે નિર્માણ પામનારા ત્રણ માળના, પાંચ ગુંબજવાળા ૧૬૧ ફુટ ઊંચા,અને ૩૬૦ x૨૩૫ ચોરસ ફુટમાં પથરાયેલા રામમંદિરની ડિઝાઈન ચંદ્રકાન્તભાઈના પુત્ર આશિષ અને નિખીલે પિતાના સલાહ સુચન મેળવીને બનાવી છે !

કહેવાય છે કે આ મંદિર વિશ્વમાં ત્રીજા નંબરનું વિશાળ મંદિર બનશે !

પદ્મશ્રી પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ સોમપુરાનો પરિવાર વરસોથી મંદિરોની ડિઝાઈન તૈયાર કરવાની કામગીરી કરે છે !

૧૯૪૯માં સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર પછી આ પરિવારે અનેક મંદિરોની ડિઝાઈન રયી છે,ત્યારપછી અનેક મંદિરોની ડિઝાઈન કરી
જેમાં મુંબઈ- કલ્યાણ ખાતેના વિઠોબા મંદિર,દાદર સ્વામીનારાયણ મંદિર,યુપી-રેણુ ખાતેના રેણુકોટેશ્વર મહાદેવ,મથુરા ખાતેના કૃષ્ણ જન્મસ્થાનમ્ મહારાષ્ટ્ર -ચાપાલ ખાતેના રામમંદિર,દિલ્હી ખાતેના રામમંદિર, કોલકત્તા ખાતેના બિરલા મંદિર,ગુજરાત ગાંધીનગર ખાતેના અક્ષરધામ,અંબાજી માતા મંદિર,ડભાણ ખાતેના અક્ષર પુરુષોત્તમ મંદિર,અમદાવાદના રાણી શકતિ મંદિર,બરોડા ખાતેના લક્ષ્મીનારાયણ મંદિર અને ગ્વાલિયર ખાતેના સુર્ય મંદિર વિગેરે એમ ૨૦૦ ઉપરાંત મંદિરોની ડિઝાઈન બનાવવામાં સોમપુરા પરિવાર અગ્રેસર છે !

શ્રી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના મોટાભાગના મંદિરોની ડીઝાઈન સોમપુરા પરિવારે કરી છે,

લંડન ખાતેના BAPS મંદિરની ડીઝાઈન માટે તેઓને ૧૯૯૭નો Best Architect of the year નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો !

હાલ Covid -19 ના કારણે ૭૮ વરસના ચંદ્રકાન્તભાઈએ રામ મંદિર શિલાન્યાસની વિધી ઘરમાં બેસી પરિવાર સાથે ટીવી પર જોઈ હતી પણ તેમના બન્ને પુત્રો અયોધ્યા ખાતે હાજર રહ્યા હતા !

આ સોમપુરા પુત્રો જણાવે છે કે મંદિરના બાંધકામનો કોન્ટ્રાકટ Larsen and Toubroને આપવામાં આવ્યો છે અને ત્રણ સાડા ત્રણ વરસના અંતે મંદિર ખડું થઈ જશે !

સોમપુરા પરિવાર એટલે મંદિર બાંધતો પરિવાર તેઓએ બનાવેલા તમામ મંદિરો સુંદર છે પરતું તેમાં પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ અને અયોધ્યામાં નિર્માણ પામતું રામ જન્મ ભુમી મંદિર સદાય ઐતિહાસીક દરજ્જો ધરાવશે !

દુનિયામાં કયાંય પણ સુંદર મંદિર બને એટલે તે તેમાં સ્થાપિત
દેવ-દેવીના નામે તે પ્રચલિત થાય પરતું તે મંદિરના બાંધકામમાં તેની ડિઝાઈન તૈયાર કરનાર તેના પ્રત્યેક પથ્થર પર ઝીણી કોતરણી કરનાર અને તેના દરેક થાંભલાને ગોઠવનાર એવા અનેક શિલ્પીઓ,કર્મચારીઓ ,કારીગરો,શ્રમિકો ભુલાઈ જતાં હોય છે.

ચિત્રકાર તેના ચિત્રના ખુણા પર તેનું નામ લખી નાંખે,પુસ્તક લખનાર પુસ્તકના પુંઠાં પર,અને ભજન રચયિતા ભજનની છેલ્લી કડીમાં તેનું નામ લખી નાંખતો હોય છે, ફિલ્મ નિર્માતા અને તેમાં કામ કરતાં લોકોના નામ ફિલ્મની પટ્ટી પર લખાઈ જાય તેવું શિલ્પો,મંદિરો કે અન્ય સુંદર બિલ્ડીંગ કે સ્થાપત્યો માટે થતું નથી !

હકિકતમાં દરેક બેમિસાલ સ્થાપત્ય પાસે તેની રચના કરનારના નામનું એક બોર્ડ મુકવાની પ્રથા હોવી જોઈએ !

Source: facebook page

ख़ामोश समंदर

में एक ख़ामोश समंदर,एल
दर्द समाये बैठा अपने अंदर,
बाहर दुनिया का शोर भयंकर,
कुछ एहसास दबाये रखे दिल के अंदर,
कह दो आंखों से,न बहे ये आँशु बनकर,
बहक गए तो रोक न पाऊ तूफानो सी लहर,
बेवज़ह हु बद्नाम फिरसे ,अब न दिखे कोई मंजर,
ख़ामोश ही रहने दो मुजे जैसे कोई शांत समंदर,
बस डर इस दर्द-ए-अहसास का, कही तबाही न मचाये ये सुनामी बनकर,
अफसोश मुज़े उतना, जितना ग़हरा ये समंदर,
समज न सका ये रिश्ता जिसे संभाला अपना बनाकर,
घाव बना ग़हरा, जब लगा धोखे का खंजर,
न कोई पास अब मेरे, ओर न कोई जग़ह दिल के भीतर,
छोड़ दो मुजे दुनिया वालो, मैं अब ख़ामोश समंदर।

-प्राची भट्ट

કાકી ના ઓટલે થી.

गुरु पूर्णिमा 🙏🌺

हिंदू कैलेंडर के अनुसार हर वर्ष आषाढ़ माह की पूर्णिमा तिथि पर गुरु पूर्णिमा का पर्व मनाया जाता है। इस बार यह 5 जुलाई, रविवार के दिन है। आषाढ़ पूर्णिमा पर महर्षि वेद व्यास का जन्म हुआ था। गुरु पूर्णिमा पर गुरु पूजा की जाती है। नारदपुराण के अनुसार गुरु पूर्णिमा पर ज्ञान और जीवन की सही दिशा बताने वाले गुरु के प्रति अपनी आस्था प्रगट की जाती है। गुरु पूर्णिमा के पर्व को व्यास पूर्णिमा के नाम से भी जाना जाता है। इस दिन महाभारत और चारों वेदों की रचना करने वाले वेद व्यास की पूजा करने की परंपरा है। यह पर्व अपने आराध्य गुरु को श्रद्धा अर्पित करने का महापर्व है। गुरुब्रह्मा गुरुर्विष्णु: गुरुदेव महेश्वर: , गुरु साक्षात्परब्रह्म तस्मैश्री गुरुवे नम: अर्थात गुरु ही ब्रह्मा है, गुरु ही विष्णु है और गुरु ही भगवान शंकर है। गुरु ही साक्षात परब्रह्म है। ऐसे गुरु को मैं प्रणाम करता हूं। गुरु पूर्णिमा के मौके पर अपने गुरु और प्रियजनों को भेजें गुरु पूर्णिमा शुभकामना संदेश.

गुरु बिन ज्ञान नहीं,
ज्ञान बिन आत्मा नहीं,
ध्यान, ज्ञान, धैर्य और कर्म,
सब गुरु की ही देन हैं !!
शुभ गुरु पूर्णिमा 🌺🙏

Design a site like this with WordPress.com
Get started